અમદાવાદ હાઇવે ગઠામણ સર્કલની આજુબાજુ નવીન બની રહેલ ૬-લેનનું બંધ પડેલ કામકાજ ઝડપીથી ચાલુ કરાવવા…

*પાલનપુર-અમદાવાદ હાઈવે ગઠામણ સર્કલની આજુબાજુ નવીન બની રહેલ ૬- લેનનું બંધ પડેલ કામકાજ ઝડપથી ચાલુ કરાવવા કલેકટર પાસે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરવાની મંજુરી માંગતા પાલિકા સદસ્ય અમૃત જોષી*
પાલનપુર નગરપાલિકાના સદસ્ય અમૃતભાઈ જોષીએ કલેકટર શ્રી બનાસકાંઠા ને રજૂઆત કરતા જણાવ્યું હતું કે કાર્યપાલક ઇજનેર ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિ મહેસાણા દ્વારા છેલ્લા છ માસ પહેલા પાલનપુર-અમદાવાદ હાઇવે-૬ લેનનું કામ ચાલુ કરવામાં આવેલ હતું જેમાં રસ્તાની બન્ને બાજુ ખોદાણ કામ કરી કોન્ટ્રાક્ટરે કામ અધુરૂ મૂકી દીધેલ છે અને કામકાજ ઘણા લાંબા સમયથી આ જગ્યાએ બંધ છે ખાડાઓમાં વરસાદી પાણી પુષ્કળ પ્રમાણમાં ભરાયેલું પડ્યું છે પાણી ભરાઈને પડી રહેલ હોવાથી મચ્છરોનો ઉપદ્રવ ઘણો વધી ગયો છે
આજુબાજુના દુકાનદાર વેપારીઓના આરોગ્યને પણ હાનિ પહોંચે છે તેમજ ધંધા-રોજગાર ઉપર માઠી અસર પડે છે રોડની બંને બાજુ આવેલ સોસાયટીઓ વિસ્તારોના પ્રજાજનોને અવર જવરમાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે
આ બાબતે અમૃતભાઈ જોષીએ કાર્યપાલક ઇજનેર ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન તેમજ તત્કાલીન કલેકટર શ્રી સંદીપ સાંગલે સાહેબ શ્રી ને પણ તારીખ ૦૪/૦૮/૨૦૨૦ અને તારીખ ૦૩/૦૯/૨૦૨૦ ના રોજ લેખિત રજુઆત કરી પ્રશ્નો ઉકેલ લાવવા વિનંતી કરેલ હતી કલેકટર શ્રી એ માર્ગ અને મકાન વિભાગ તેમજ કોન્ટ્રાક્ટરને કામ ઝડપથી ચાલુ કરીને પૂર્ણ કરવા સુચના આપેલ છતાં કામકાજ ચાલુ કરવામાં આવેલ નથી
આમ અમૃતભાઈ જોષીએ જણાવ્યું હતુ કે કોન્ટ્રાક્ટરને વારંવાર અમોએ મૌખિક રજૂઆત કરતાં તેઓ કામ ચાલુ કરવાના વાયદાઓ આપે છે છતાં હજુ સુધી કામ ચાલુ કરવામાં આવેલ નથી પ્રજાજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે સરકાર શ્રી પ્રજાજનોની સુખાકારી માટે સુંદર કામગીરી કરી રહી છે પરંતુ કોન્ટ્રાક્ટરની આડોડાઈને કારણે પ્રજાજનો પરેશાન થઈ રહ્યા છે
આમ આ કામ ઝડપથી ચાલુ કરાવવા ગઠામણ સર્કલ ઉપર તારીખ ૧૨/૧૦/૨૦૨૦ નાં રોજ અમૃતભાઈ જોષીએ આમરણાત ઉપવાસ ઉપર બેસવાની મંજુરી આપવા કલેકટર શ્રી બનાસકાંઠા તેમજ ડી.એસ.પી શ્રી
બનાસકાંઠા રજુઆત કરેલ છે.
This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this