રાષ્ટ્રીય

હવે ટ્રેન ઉપડવાના અડધો કલાક પહેલા ટિકિટ બુક કરી શકાશે

ઇન્ડિયન રેલવે મુસાફરોને એક વિશેષ સુવિધા પૂરી પાડવા જઈ રહ્યું છે. ઇન્ડિયન રેલવે ટ્રેન રિઝર્વેશન ચાર્ટનો સમય બદલાવવા જઈ રહ્યો છે. 10 ઓક્ટોબરથી રેલવેનો બીજો રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ઉપડવાની 30 મિનિટ પહેલા જ બનશે. અત્યારે કોરોનાકાળમાં ચાર્ટ 2 કલાક પહેલા બનાવવામાં આવી રહ્યો છે.

10 ઓક્ટોબરથી ફરીથી નિયમોમાં ફેરફાર થશે. ત્યારબાદ બીજો રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ઉપડવાના સમયથી 30 મિનિટ પહેલા બનાવવામાં આવશે. બીજો ચાર્ટ તૈયાર થાય તે પહેલાં ટિકિટ બુકિંગની સુવિધા ઓનલાઇન અને PRS ટિકિટ કાઉન્ટર્સ પર ઉપલબ્ધ રહેશે

10 ઓક્ટોબરથી રિઝર્વેશનનો પહેલો ચાર્ટ ટ્રેન ઉપડવાના ઓછામાં ઓછા 4 કલાક પહેલાં તૈયાર કરવામાં આવશે. આમાં અન્ય મુસાફરો ઓનલાઇન અથવા કાઉન્ટર પરથી ખાલી સીટ્સ અથવા બર્થનું બુકિંગ કરાવી શકશે. ત્યારબાદ બીજો રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ઉપડવાની 30 મિનિટ પહેલા તૈયાર થશે. આ ટાઇમ ટેબલમાં પ્રિ-બુક કરેલી ટિકિટને કેન્સલ કરવાની પણ જોગવાઈ હશે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

19 + 11 =

Back to top button
Close