ગુજરાત

પંચમહાલ જિલ્લા ના ગોધરા ખાતે પ્લાઝમાં થેરાપી શરૂ કરાઇ

કોરોના પોઝીટીવ ગંભીર દર્દીઓને સારવારમાં પ્લાઝમા થેરાપી અસર કારક સાબીત થઇ છે. ગોધરા રેડક્રોસ ખાતેની બ્લડ બેંક હવે જરુરતમંદ દર્દીઓને કોવિડ કયોર વ્યક્તિના પ્લાઝમા કરી શકાશે. જેથી પંચમહાલ, મહિસાગર તથા દાહોદ જિલ્લાના કોરોના ની ગંભિર બીમારીથી પીડાતાં દર્દીઓને પ્લાજમા થેરાપી ગોધરા ખાતેની રેડક્રોસ સેન્ટરમાં પણ ઉપલબ્ધ થતાં ત્રણેવ જિલ્લાવાસીઓ માટે ખુશીના સમાચાર બન્યા હતા..

કોણ દાન કરી શકે?

એક વ્યક્તિ જ્યારે કોવિડ-પૉઝિટિવ થાય અને પછી તેની સારવાર બાદ તેનો કોવિડનો રિપોર્ટ નેગેટિવ આવે છે. આ રિપોર્ટથી એ દરદી કોરોના વાઇરસથી મુક્ત થયો છે એ સુનિશ્ચિત થઈ જાય છે પછી આશરે ૨૮ દિવસ જો તેને ફરી પાછા કોરોનાનાં કોઈ લક્ષણ ન દેખાય તો તેના રક્તમાં અન્ય કોવિડ દરદીની સારવાર માટે યોગ્ય ઍન્ટિબૉડીઝ તૈયાર થઈ જાય છે. આ ઍન્ટિબૉડીઝની ગુણવત્તા અને પ્રમાણ તપાસવામાં આવે છે અને જો બધા માપદંડ પર ડોનર અને તેના પ્લાઝમા યોગ્ય સાબિત થઈ જાય તો જ તેમની પાસેથી પ્લાઝમા સ્વીકારવામાં આવે છે. એક વાત ચોક્કસ છે કે રક્તદાનની જેમ જ પ્લાઝમા દાનમાં ઇચ્છુક ડોનરને કોઈ ચેપી કે અન્ય ગંભીર રોગ ન હોવો જોઈએ.

This article is personal view of our viewer, we’re not confirmed any detials personally, let us know if you know anything more about this

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

19 − 6 =

Back to top button
Close