ગુજરાત
કટાવ ધામ મંદિર કોરોના મહામારીને લઈ દર્શનાર્થીઓ માટે બંધ કરાયું..

કટાવ ધામ મંદિર કોરોના મહામારીને લઈ દર્શનાર્થીઓ માટે બંધ કરાયું.
This article is personal view of our viewer, we are not confirmed any details personally, let us know if you know anything more about this
સુઇગામ તાલુકાનું મીની અયોધ્યા ગણાતું પ્રસિદ્ધ યાત્રાધામ કટાવનું રામજી મંદિર કોરોના મહામારીને લઈ દર્શનાર્થીઓ માટે આગામી 1 મેં સુધી સદંતર બંધ કરવામાં આવ્યું છે, દિન પ્રતિદિન વધતા જતા કોરોના સંક્રમણને લીધે અનેક કેસો સામે આવી રહ્યા છે, જેને ધ્યાનમાં લઈ જ્યાં લાખો શ્રધ્ધાળુ ભક્તો દર્શન કરવા આવે છે, તે કટાવધામ મંદિર ને બંધ કરવામાં આવ્યું. છે. આ અંગે મહંત જયરામદાસજીએ શ્રદ્ધાળુઓને કોરોના મહામારીમાં સાવચેતી રાખવા, સરકારની ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરી,સોસીયલ ડિસ્ટન્સ જાળવવા, તેમજ કામ વગર ઘરની બહાર નીકળવાનું કે ભીડ માં ન જવા અપીલ કરી છે.