મનોરંજન
ગુજરાતમાં થયેલા આ મોટા આતંકી હુમલા પર બનશે ફિલ્મ જાણો કઈ..

આતંકી હુમલા પર વધુ એક મોટી ફિલ્મ બનાવા જઇ રહી છે. . ગુજરાતમાં વર્ષો પહેલા અક્ષરધામ મંદિર પર એક મોટા આતંકી હુમલાની ઘટના બની હતી. તેના પર ફિલ્મ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
સીરીઝ ‘સ્ટેટ ઓફિસીઝ : 26/11’ ના નિર્માતાઓએ ગુરુવારે ફિલ્મ ‘સ્ટેટ ઓફ સીઝ : અક્ષરધામ’ બનાવવાની જાહેરાત કરી છે. અક્ષરધામ મંદિર પર 18 વર્ષ પહેલા 24 સપ્ટેમ્બર, 2002માં આતંકીઓએ હુમલો થયો હતો. જેમાં 30થી વધુ લોકોના મોત થયા હતા, અને 80થી વધુ લોકો ઘાયલ થયા હતા.

દર્શકોને હવે આ ફિલ્મનો પણ ઇન્તજાર રહશે, જોકે ફિલ્મ રિલીઝ અને સ્ટાર કાસ્ટને લઇને માહિતી સામે આવી નથી.