ગુજરાત

સાબરકાંઠા: વિરાવાડાની પરિણીતાને દારૂ પીવડાવી છરીની અણીએ બે નરાધમોએ પીંખી નાખી,

પોલીસે ગામના જ બે નરાધમોને જેલના પાછળ ધકેલ્યા

મોટી ઇસરોલ : ઉત્તર પ્રદેશના હાથરસમાં દલીત યુવતી ઉપર બળાત્કાર કરી ઢોર મારતા તેનું મોત થયું હતું. આ ઘટનાએ ફરી નિર્ભયા કાંડની યાદ અપાવી દીધી છે. પરંતુ આ મામલે કડક સજા થતી ન હોવાથી માનસિક વિકૃત લોકો આવા કૃત્યને અંજામ આપી રહ્યા છે. આવી જ એક ઘટના સાબરકાંઠાના વીરાવાડા ગામે બહાર આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે.

જેમાં હિંમતનગર તાલુકાના વિરાવાડા ગામની એક પરિણીતા ઘાસચારો લઈને ઘરે આવતી હતી ત્યારે ગામના જ બે નરાધમોએ તેણીની એકલતાનો લાભ લઈને વાહન પર બેસાડી અન્ય સ્થળે લઈ જબે પરાણે દારૂ પીવડાવી આ બંને નરાધમોએ દુષ્કર્મ કર્યુ હતું. જે અંગેની ફરીયાદ બુધવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોધાવા પામી હતી. ગાંભોઇ પોલીસે ગણતરીના કલાકોમાં બંને નરાધમો રાકેશ મણાભાઈ પટેલ અને દિનેશસિંહ ઉર્ફે ભુરીયો સરદારજી મકવાણાને ઝડપી પાડ્યા હતા. સમગ્ર કેસની તપાસ હાલ મહિલા પીએસઆઈ એમ.ડી.ચૌહાણ કરી રહ્યા છે.

  હિંમતનગર મહીલા પીએસઆઈ એમ.ડી.ચૌહાણના જણાવ્યા અનુસાર દુષ્કર્મનો ભોગ બનેલ મહિલાનું તબીબી પરીક્ષણ માટે તજવીજ હાથધરી છે. દુષ્કર્મના બંને આરોપીઓને કોર્ટ કસ્ટડીમાં મોકલી આપી આગળની તપાસ ચાલુ હોવાનું અને બંને આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકઠા કરવાની કામગીરી ચાલી રહી હોવાનું જણાવ્યું હતું. બંને આરોપીઓના કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા હોવાનું જણાવ્યું હતું હાલ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

◆શું છે સમગ્ર મામલો 

ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ભોગ બનનાર પરિણીતાએ નોધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ તેણી ગત તા.૨૮ સપ્ટેમ્બરના રોજ સાંજના સુમારે ખેતરમાંથી ઘાસનો ભારો લઈને ઘરે આવી રહ્યા હતા ત્યારે ગામના જ રાકેશ મણાભાઈ પટેલ અને દિનેશસિંહ ઉર્ફે ભુરીયો સરદારજી મકવાણાએ બાઈક પર આવી મહિલાની છેડતી કરી હતી. અને દિનેશસિંહે બળજબરીથી પરિણીતાનું મોઢુ દબાવીને બાઈક પર બેસાડી દીધી હતી. ત્યારબાદ રાકેશ પટેલ અને દિનેશસિંહ આ પરિણીતાને ગામના જ એક ખેડૂતના કુવા પર લઈ ગયા હતા.

જ્યા બંને હવસખોરોએ પરિણીતાને બળજબરીથી ચપ્પુ બતાવીને દારૂ પીવડાવી દીધો હતો. ત્યારબાદ આ બંને જણાએ પરિણીતા પર દુષ્કર્મ કર્યુ હતું અને ફરીથી આ પરિણીતાને ધમકી આપી કોઈને વાત કરીશ તો જાનથી મારી નાખીશુ તેમ કહી બાઈક પર બેસાડી પરિણીતાને વિરાવાડા ગ્રામ પંચાયત આગળ છોડીને બંને જણા અંધારામાં રફુચક્કર થઈ ગયા હતા. ત્યારબાદ બુધવારે દુષ્કર્મનો ભોગ બનનાર પરિણીતાએ વિરાવાડા ગામના બંને હવસખોરો વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી. 

This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

18 + 8 =

Back to top button
Close