ગુજરાતજુનાગઢટ્રેડિંગસૌરાષ્ટ્ર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ તેના અંતિમ ચરણમાં- ગિરનાર તળેટીથી ફક્ત 7 મિનિટમાં

 ઓક્ટોબર સુધી ગિરનાર રોપવે પ્રોજેક્ટ સંપૂર્ણપણે તૈયાર થઈ જાય તેવી સંભાવના દેખાઈ રહી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સીધી દેખરેખમાં સમગ્ર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે.

ગિરનાર રોપવે પ્રોજેક્ટ ભવનાથ તળેટીથી લઈને અંબાજી મંદિર સુધીનો છે. જેમાં કુલ 9 ટાવર ઉભા કરાયા છે. ભવનાથ તળેટીથી લઈને અંબાજી સુધીનું અંતર 2.3 કી.મી.નું છે 

શરૂઆતના તબક્કામાં 24 ટ્રોલી લગાવવામાં આવશે. એક ટ્રોલીમાં 8 લોકો બેસી શકે તેટલી ક્ષમતા છે . એક ફેરામાં 192 પ્રવાસીઓ મુસાફરી કરી શકશે.ટૂંક સમયમાં જ વિશ્વના પ્રવાસન નકશામાં જૂનાગઢ ગિરનાર રોપ -વે આકર્ષણનું કેન્દ્ર બનશે.

હાલ ટાવર પર દોરડા લગાવીને તેના પર ટ્રોલી લગાવીને તેની ટ્રાયલ લેવાઈ રહી છે.આ તમામ કામગીરી ઓસ્ટ્રીયાથી આવેલા નિષ્ણાંતોની દેખરેખમાં થઈ રહી છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nineteen + nine =

Back to top button
Close