આંતરરાષ્ટ્રીય

ઉત્તર કોરિયા: કિમ જોંગે વિદેશી ટીવી શો જોનારને મૃતદેહોની રાખવાળુ પાણી પીવડાવ્યું

ઉત્તર કોરિયાના ક્રુર તાનાશાહ કિમ જોંગ ઉનની ક્રુરતાની વધુ એક વાત બહાર આવી

ઉત્તર કોરિયાની જેલમાંથી ભાગીને જેમ- તેમ કરીને અમેરિકા પહોંચી ગયેલા એક કેદીએ એક માનવાધિકાર સંસ્થાને વોશિંગ્ટનમાં આપેલા ઈન્ટરવ્યૂમાં ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યુ કે, ઉત્તર કોરિયામાં વિદેશી ટીવી શો જોવાની ભયાનક સજા અપાય છે. વિદેશી શો જોનારા કેદીઓે જેલમાં તેમના મૃત સાથીદારના સળગાવી દેવાયેલા મૃતદેહની રાખ સાથે ભળેલુ પાણી પીવડાવાઈ છે.

ચોંચરી નામની જેલમાં કેદીયો સાથે જાનવરો કરતા પણ ખરાબ વર્તન કરવામાં આવે છે તેવો ખુલાસો કરનાર આ કેદીએ ઉમેર્યુ હતુ કે, મૃત કેદીઓના શરીરને સળગાવી દેવાતા પહેલા એક ગોડાઉનમાં રાખવામાં આવે છે જ્યાં ઉંદરો મૃતદેહની ઉજવાણી પણ કરે છે.

વિદેશી ટીવી શો જોતા પકડાયેલા લોકો માટે આ જેલ બનાવવામાં આવી છે. જ્યાં કેદીઓને અમાનુષી યાતના અપાય છે. દર અઠવાડિયે અહીંયા કોઈને કોઈ કેદીનુ મોત થયા છે. જેને જેલમાં જ બનેલા એક સ્મશાનમાં સળગાવી દેવાય છે. કેમ્પમાં દર સોમવારે મરી ગયેલા કેદીઓને અગ્નિદાહ અપાય છે. સળગેલા મૃતદેહોની રાખનો ખાતર તરીકે ઉપયોગ કરવા માટે ખુલ્લામાં તેનો ઢગલો કરાતો હોય છે. જ્યારે પણ વરસાદ પડે ત્યારે આ રાખ પાણીની સાથે વહીને નજીકની નદીમાં પહોંચી જતી હોય છે અને કેદીઓને આ નદીનુ પાણી નહાવા માટે અને પીવા માટે અપાય છે.

આ ઈન્ટરવ્યૂ આપનાર કેદીનુ નામ અને ઓળખ સંસ્થાએ સુરક્ષાના કારણોસર ગુપ્ત રાખી છે. સંસ્થાનુ કહેવુ છે કે, કેદી જે જેલની વાત કરે છે તેની ઓળખ સેટેલાઈટ ઈમેજની મદદથી થઈ છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × one =

Back to top button
Close