ગુજરાત

ગુજરાતના વધુ 8 શહેરોમાં નાઈટ કર્ફ્યુ લાગુ, જાણો સંપૂર્ણ માહિતી..

કોરોનાની બીજી લહેર ગુજરાતને અન્ય રાજ્યોની જેમ ઘેરી ગઈ છે. તેને ધ્યાનમાં રાખીને વિજય રૂપાણીની ગુજરાત સરકારે રાજ્યના 20 શહેરોમાં રાતે આઠ વાગ્યાથી છ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લગાવી દીધો હતો. હવે, વધુ 8 શહેરોમાં કોરોના કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. 

CM કચેરીએ જણાવ્યું છે કે રાજ્યના પ્રથમ 8 મોટા શહેરો સહિત રાજ્યના 20 શહેરોમાં રાતે 8 થી 6 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવવામાં આવ્યો છે. હવે અન્ય શહેરો જેવા કે હિમાતનગર, પાલનપુર, નવસારી, વસીદ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટા ઉદેપુર, વેરાવળ અને સોમનાથમાં રાતે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગૂ કરવામાં આવશે. આ 29 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન કારખાના ઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ ચાલુ રહેશે. બધી તબીબી અને પેરામેડિકલ સેવાઓ ચાલુ રહેશે. આ 29 શહેરોની તમામ રેસ્ટોરન્ટ બંધ રહેશે.

મોલ, શોપિંગ કોમ્પ્લેક્સ, સિનેમા હોલ, ઓડિટોરિયમ, જીમ, સ્વિમિંગ પુલ, વોટર પાર્ક, જાહેર ઉદ્યાનો, સલુન્સ, સ્પા અને અન્ય મનોરંજન પ્રવૃત્તિઓ તમામ 29 શહેરોમાં બંધ રહેશે. શાકભાજી અને ફળો સાથે જોડાયેલી ફક્ત મંડીઓ ચાલુ રાખવામાં આવશે. 

આ પણ વાંચો..

જોડિયા: શ્રી હનુમાન જયંતી નિમિતે બાલા હનુમાનજી મહારાજનું વિશેષ પૂજન..

રાજ્યભરમાં ધાર્મિક સ્થળો પર જાહેર પ્રવેશ બંધ રહેશે. ફક્ત સંચાલકો અને પુજારીઓ પૂજા કરી શકશે. 50 ટકાની ક્ષમતા સાથે રાજ્યભરમાં જાહેર બસ પરિવહન ચાલુ રહેશે. વધુમાં વધુ 50 લોકોને લગ્નમાં મંજૂરી આપવામાં આવશે અને અંતિમ સંસ્કાર સમયે 20 લોકોને મંજૂરી આપવામાં આવશે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × two =

Back to top button
Close