
લોહપુરુષ સ્વ. સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ ૩૧મી ઓકટોબરના દિવસને દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગ રૂપે પંચમહાલ જિલ્લામાં પણ વિવિધ સરકારી કચેરીઓમાં એકતા દિનના શપથ લેવામાં આવ્યા હતા. જિલ્લા સેવા સદન ખાતે પંચમહાલ જિલ્લા કલેકટર અમિત અરોરાએ તથા નિવાસી અધિક કલેકટર એલ.બી. બાંભણિયાની અધ્યક્ષતામાં અન્ય અધિકારીઓ-કર્મચારીઓએ શપથ લીધા હતા. રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવી રાખવા માટે સ્વયંને સમર્પિત કરવા માટેના શપથ લેવામાં આવ્યા હતાં. જિલ્લામાં વહીવટીતંત્રના વિવિધ વિભાગો-શાખાઓમાં આ અંગેના કાર્યક્રમ સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે યોજાયા હતા.
This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this