
અભિનેત્રી કંગના રનૌત આજે એટલે કે 9 સપ્ટેમ્બરે મુંબઈ પહોંચશે. તેના માટે તે મંડીમાં પોતાના ઘરેથી રવાના થઈ ગઈ છે. તે ચંદીગઢથી મુંબઈ ફ્લાઈટ દ્વારા આવશે. જણાવી દઈએ કે હિમાચલના મંડીમાં કંગનાનું પિતાનું ઘર છે.
રાણી લક્ષ્મીબાઈના પગલે જ ચાલીશ – કંગના રનૌત
બુધવારે કંગનાએ ટ્વિટ કર્યું હતું. જેમાં લખ્યું હતું કે રાણી લક્ષ્મીબાઈના સાહસ, શૌર્ય અને બલિદાનને હું ફિલ્મો દ્વારા જીવી છું. દુઃખની વાત એ છે કે મને મારા જ મહારાષ્ટ્રમાં આવવાથી રોકવામાં આવી રહી છે. હું રાણી લક્ષ્મીબાઈના પગલે ચાલીશ ના ડરીશ કે ના ઝુકીશ. ખોટાની વિરૂદ્ધ આગળ આવીને અવાજ ઉઠાવતી રહીશ. જય મહારાષ્ટ્ર, જય શિવાજી.
ઉલ્લેખનીય છે કે મુંબઈ જતા પહેલા કંગના રનૌતનો બે વખત કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. કંગનાનો કોરના રિપોર્ટ માટે લેવામાં આવેલુ પહેલુ સેમ્પલ બરાબર નહોતું. જેના કારણે રિપોર્ટની તપાસ ન થઈ શકી. જેના પગલે બીજી વાર ફરીથી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમની કોરોના ટેસ્ટનો બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સાથે જ કંગનાનો મુંબઈ જવાનો રસ્તો સાફ થઈ ગયો છે. કંગના બપોરે ચંદીગઢથી મુંબઈ જવા નિકળશે. તેમની ફ્લાઈટ બપોહે સવા 12 વાગ્યાની છે. જે 2 વાગ્યે મુંબઈ પહોંચશે.
જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી કંગના અને શિવસેનાની વચ્ચે વાક યુદ્ધ ચાલી રહ્યું છે. કંગનાએ કહ્યું હતું કે મુંબઈમાં તે ખુદને સુરક્ષિત નથી લાગતી અને તેને મુંબઈ પીઓકેની જેવુ લાગે છે. જેના પછી શિવસેના નેતાએ તેને મુંબઈ ન આવવા કહ્યું હતું. ત્યારથી જ આ વિવાદ વકર્તો ગયો છે. હવે કેન્દ્ર સરકારે Y પ્લસ સેક્યોરિટી આપવામાં આવી છે.
કંગના પહેલા જ સુશાંત સિંહના મોત માટે મૂવી માફિયચા અને નેપોટિઝમને જવાબદાર ઠેરવી ચૂકી છે. આ સિવાય તે મુંબઈ પોલીસને પણ કોર્ટ લઈ ગઈ હતી. કંગનાએ જ્યારે મુંબઈને પીઓકેની તુલના કરી ત્યારે કેટલાક મહાનુભાવોએ સહિત શિવેસના નેતા સંજય રાઉતે પણ તેમની નિંદા કરી હતી.