
This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this.
નિયામક, આયુષની કચેરી,આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શનમાં તથા જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી, આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત પંચમહાલ અંતર્ગત ગામ સુરેલી,તા.કાલોલ ખાતે રહેતા નાગરિકો માટે Covid-19 પ્રતિરોધક અમૃતપેય ઉકાળા તથા હોમિયોપેથીક દવા આર્સેનિક આલ્બમ -30ના વિતરણનું આયોજન સરકારી આયુર્વેદ દવાખાનું ,અડાદરા તથા સરકારી હોમિયોપેથી, ગામના સરપંચ ચેતનાબેન ઠાકોરના સહયોગથી વેજલપુર પી.એચ.સી સ્ટાફના મદદથી કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૩૨૦૦ લાભાર્થીઓએ લાભ લીધો હતો.વૈદ્ય રિયાબેન બામણિયા તથા ડો.ભાવિકાબેન તડવી હાજર રહયા હતાં.
આ સુરેલી ગામના મહિલા સરપંચ ચેતનાબેન અવારનવાર આવા લોક સેવાના કાર્યો કરતાં રહે છે. કોરોના મહામારીના સમયમાં પણ આ મહિલા સરપંચે લોકડાઉન દરમિયાન જરૂરીયાતમંદ લોકોને અનાજ કીટનું વિતરણ કર્યુ હતું. તેમજ પોતે મહિલા સરપંચ છે તેથી ગામની મહિલાઓ ઉત્સાહી બની આગળ આવે અને આત્મનિર્ભર બને તે માટે સુરેલી દૂધ મંડળીમાં પોતે સભ્ય હોવાથી ૫૦૦ જેટલી સ્ટીલની બરણીઓ પણ વિતરણ કરવામાં આવી હતી. આમ આ મહિલા સરપંચ ચેતનાબેન ઠાકોર સતત ઉત્સાહી બની લોકસેવાનું ઉત્તમ કાર્ય કરી રહયાં છે.