
થોડા દિવસ પહેલા હરિયાણાના વલ્લભગઢ ખાતે લવજેહાદના નામે હિંદુ ધર્મની એક માસૂમ દીકરીની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી અને જેનો સી. સી.ટી.વી વીડિયો સોશીયલ મીડીયામાં વાઇરલ થતાં સમગ્ર દેશમાં વિધર્મી યુવકો વિરૂદ્ધ ભારે રોષ ફેલાયો છે ત્યારે બનાસકાંઠાના લાખણી તાલુકામાં પણ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે જેને લઇ મહાકાલ સેના અને બજરંગ દળ દ્વારા ગુજરાત રાજ્યના રાજ્યપાલને સંબોધી મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
This article is personal view of our viewer, we are not confirmed any details personally, let us know if you know anything more about this
અને હરિયાણાની નિર્દોષ દીકરી નિકિતાના હત્યારા તોસિફખાન અને રેહાનખાન ને ફાંસી અથવા એન્કાઉન્ટર કરવાની ઊંગ્ર માંગ કરવામાં આવી હતી અને જો સરકાર દ્વારા આવા નરાધમોને સજા આપવામાં નહિ આવે તો દેશમાં શાંતિ જળવાશે નહિ અને ધર્મના નામે મોટા વિવાદો સર્જાવાની શક્યતા રહેશે જેની જવાબદારી સરકારની રહેશે એવું જણાવવામાં આવ્યું છેઆ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ મહેસાણા વિભાગના પ્રભુદાસ મોદી, સ્થાનિક આગેવાન શ્રવણભાઈ દવે , વિશાલસિહ રાજપુત, મહેશભાઈ ચૌધરી, રામસિંહ રાજપુત, અશોકભાઈ ચૌધરી અને સંગઠનના હોદ્દેદારો હાજાર રહ્યા હતા.