રાષ્ટ્રીય
શિક્ષણનીતિમાં સરકારનો હસ્તક્ષેપ ઓછો હોવો જોઇએ

- રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર રાજ્યપાલોના સંમેલનને સંબોધન કરી રહ્યા છે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
- નવી શિક્ષણનીતિથી આત્મનિર્ભર ભારતનો સંકલ્પ થશે પૂર્ણ
નવી શિક્ષણનીતિથી યુવાઓનું જ્ઞાન અને કૌશલ્ય વધશે : નવી શિક્ષણનીતિને તૈયાર કરવામાં લાખો લોકો સાથે ચર્ચા કરવામાં આવી. જેમાં વિદ્યાર્થીઓ – શિક્ષકો – અભિભાવકો સામેલ હતા. પીએમ મોદીએ કહ્યું કે, દેશમાં જ ભવ્ય કેમ્પસ હશે, જેનાથી બહાર ભણવાના પ્રયત્નો ઓછા રહેશે. સાથે જ પ્રયત્નો કરવામાં આવ્યા છે કે ઓનલાઇન શિક્ષણને જ પ્રોત્સાહન મળે વધુમાં ઉમેર્યું કે જેમ વિદેશનીતિ કોઇ સરકારની નથી હોતી દેશની હોય છે તેમજ આ શિક્ષણનીતિ પણ કોઇ સરકારની નહી પરંતુ દેશની શિક્ષણનીતિ છે