સુશાંતની મેનેજર દિશા પર પાર્ટીમાં ચાર લોકોએ કરેલો ગેંગ રેપ’, કોણે કર્યો આ દાવો ???

સુશાંત સિંહ રાજપૂત અને તેની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મોત વચ્ચે 5 દિવસનું અંતર હતું. આ સિદ્ધાંત સુશાંત સિંહ રાજપૂત કેસમાં પણ લોકો માની રહ્યા છે. જોકે, ડોક્ટર્સ તેને માનસિક બીમારી સાથે જોડી રહ્યા છે. જોકે બંને કેસમાં અનેક વિવાદિત થિયરી છે.
સાક્ષીએ કહ્યું કે, દિશા સાલિયાન પર 8 જૂન, 2020ના રોજ મલાડ સ્થિત ફ્લેટમાં તેના પર બળાત્કાર થયો હતો. એક ટીવી ચેનલને જણાવ્યું કે, તે એકટર પણ છે અને મલાડવાળા ફ્લેટ પર રાતે 9 થી 9.30 વાગ્યા વચ્ચે પહોંચ્યા હતા. તેણે ચેનલને જણાવ્યું કે, એક કલાક સુધી તો પાર્ટી સારી રીતે ચાલતી હતી પરંતુ તે બાદ થોડી શંકા હતી. કેટલાક લોકોને છોડીને દિશા સહિત બાકીના લોકો બે બેડરૂમમાં જતા રહ્યા અને અંદરથી લોક લગાવી દીધું. સાક્ષીએ કહ્યું, અવાજ ન સંભળાય તે માટે પાર્ટીમાં લાઉડ સ્પીકર વગાડવામાં આવ્યું. હું માસ્ટર બેડરૂમમાં બંધ હતો, જ્યારે રોહન રાય અને તેની મંગેતર દિશા બીજા રૂમમાં હતા.

દિશાના શબને જોયા બાદ રોહન રાય અને તેના મિત્રો બાંદ્રા રેલવે સ્ટેશન તરફ ભાગ્યા અને તેમના ઘરે જતી પહેલી ટ્રેન પકડીને જતા રહ્યા હતા. જો પોલીસ ઈચ્છે તો રેલવે સ્ટેશનના સીસીટીવી પણ ચેક કરી શકે છે. સુશાંત સિંહ જાણવા માંગતો હતો કે તેની મેજેનર સાથે શું થયું હતું. આ કારણે તે દુખી હતો. દિશાના માતા-પિતાએ કહ્યું, દિશાને પૈસાની કે અન્ય કોઈ સમસ્યા નહોતી.