સરકારી પ્રાથમિક શાળાઓમાં ફાયર સેફટી રીફીલિંગ કામગીરી કાર્યરત કરવામાં આવી

વર્તમાન સમયે શાળા સલામતીના ભાગરૂપે પંચમહાલ ના શહેરા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં શાળા સલામતી અંતર્ગત ફાયર સેફટીને ધ્યાનમાં રાખી ૨૪૪ પ્રાથમિક શાળાઓમાં ફાયર રીફીલિંગની કામગીરી શ્રીનાથજી ફાયર સેફટી એજન્સી કોઠંબા દ્વારા કાર્યરત કરવામાં આવી છે. ધોરણ ૧ થી ૫ની શાળાઓમાં વોટર ટાઈપ CO2 બોટલ ૯ લીટર વજનવાળા આવે છે તે કાર્યરત કરવામાં આવ્યા છે જેના વડે લાકડું, પેપર, પ્લાસ્ટિક અને ઓફિસમાં યુઝની આગ નિયંત્રણ કરી શકાય છે તેમજ ABC પાવડર કેમિકલ ફોર્મ અને DCP ડ્રાય કેમિકલ પાવડર બન્ને બોટલ ૧૦ કિલોગ્રામ વજનમાં આવે છે તે કાર્યરત કરવામાં આવી રહ્યા છે.
તેનાથી પેપર, પ્લાસ્ટિક, લાકડું, ઓઈલ, રબર ફોર્મ, પેઈન્ટ, પેટ્રોલ, ડીઝલ, ગેસ, કેરોસીન, કેમિકલ, એલ.પી.જી. અને ઈલેક્ટ્રિસિટી શોર્ટ સર્કિટથી લાગતી આગને સમય મર્યાદામાં નિયંત્રણ કરી મોટી ઘટનાઓ કે આફતોને રોકી બાળકો અને શિક્ષણ પરીવારની સલામતી રાખી શકાય છે. વિજાપુર પ્રા.શાળા ખાતે બી.આર.સી.કો. ઓર્ડીનેટર શહેરા ડો.કલ્પેશ પરમાર સી.આર.સી.દલાવાડા, સી.આર.સી. ખોજલવાસા અને સી.આર.સી.નવી વાડી, આચાર્ય મુકેશપુરી ગોસ્વામી અને શાળા પરિવારને સાથે હાજર રાખી ફાયર સેફટીનો ડેમો કરી આગને નિયંત્રણ કેવી રીતે કરી શકાય હતી.
તે અંગે વધુ જાણકારી આપવામાં આવી હતી અને તમામ શાળાઓના શિક્ષકોને સ્થળ પર જ આગ નિયંત્રણ કરવાનો ડેમો કરાવી માર્ગદર્શન આપવામાં આવે છે. શહેરા તાલુકાના તમામ બાળકોને ઉત્તમ શિક્ષણ મળે તેની સાથે સાથે તેમની સલામતીની ચિંતા સમગ્ર શિક્ષા અભિયાન શહેરા દ્વારા સતત કરવામાં આવે છે. સ્વસ્થ, સલામત અને તંદુરસ્ત રહી બાળકો ઉત્તમ શિક્ષણ મેળવે એ જ અમારો દ્રઢ સંકલ્પ છે..
This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this