દેવભૂમિ દ્વારકા

ખંભાળિયામાં મુખ્‍યમંત્રી મહિલા ઉત્‍કર્ષ ઇ-લોન્‍ચીંગ કાર્યક્રમ સંપન્‍ન

વડાપ્રધાન મોદીના જન્‍મદિવસ નિમિતે મહિલાઓને ભેટ અપાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના મુખ્ય મથક ખંભાળિયામાં ગઈકાલે ગુરૂવારે નગરપાલિકા યોગ કેન્‍દ્ર ખાતે મુખ્‍યમંત્રી મહિલા ઉત્‍કર્ષ ઇ-લોન્‍ચીંગ કાર્યક્રમ યોજાયો હતો. મહિલાઓને સ્‍વરોજગારી આપવા સાથે આત્‍મનિર્ભર બનાવવા મુખ્‍યમંત્રી મહિલા ઉત્‍કર્ષ યોજના શરૂ કરવામાં આવી છે. મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીને જન્‍મદિવસની શુભેચ્‍છાઓ પાઠવી જણાવ્‍યું હતુ કે, રાષ્‍ટ્રીય મહિલા આજીવિકા મીશન હેઠળ રાજયમાં છેલ્‍લા ચાર વર્ષમાં મહિલાઓના સશકતીકરણ માટે નોંધપાત્ર કામ થયું છે. રાષ્‍ટ્રીય મહિલા આજીવિકા મીશન હેઠળ રાજયમાં 2,51,000 સ્‍વસહાય જુથો નોંધાયેલ છે અને તેમા અંદાજે રાજયની 25,82,000 મહિલાઓ જોડાયેલા છે. તે પૈકી દોઢ લાખ જેટલા સ્‍વસહાય જુથો સક્રિય રીતે કામ કરી રહયા છે. આ સ્‍વસહાય જુથોને સ્‍ટાર્ટઅપ ફંડ તરીકે રૂ. 29 કરોડ જેટલી રકમ ફાળવવામાં આવી છે. આશરે 5,52,000 જેટલા બહેનો પશુપાલન સાથે સંકળાયેલ છે. આ ઉપરાંત આશરે સવા લાખ બહેનો હેંડીક્રાફર, હેન્‍ડલુમ અને અન્‍ય ગૃહ ઉધોગ સાથે સંકળાયેલ છે. આ કાર્ય દ્વારા બહેનો આર્થિક રીતે પગભર થઇ રહ્યા છે.

આ ઉપરાંત બેંકોના સહકારથી બહેનોને કેશ સગવડ આપવામાં આવી છે. કેશ સગવડ મેળવી બહેનોએ આન્‍મનિર્ભર થવા પ્રયત્‍નો કર્યા છે. સાથે તેમના કૌશલ્‍ય વર્ધનનો પ્રયાસ પણ કર્યો છે. જેથી તેઓ તેમના પોતાના જ વતનમાં કામધંધા કરી આત્‍મનિર્ભર બની શકે. પ્રવર્તમાન કોવિડ-19 નાં લોકડાઉનના સમયમાં પણ સમયની માંગને ધ્‍યાનમાં રાખીને ગુજરાતની ખમીરવંતી મહિલાઓએ કાપડના વિવિધ માસ્‍ક તથા સેનેટાઇઝર બનાવવાનો આરંભ કરી દિધેલ છે. અત્‍યાર સુધી આ સંગઠીત બહેનો દ્વારા 70 લાખ માસ્‍ક તથા સેનેટાઇઝરનું ઉત્‍પાદન કરી, જાહેર જનતાને પુરા પાડી તેમની આજીવિકામાં વધારો કરેલ છે. અને આશરે રૂ. 5.60 કરોડનું ટર્નઓવર કરેલ છે. તેવી જ રીતે આ કપરા કાળમાં કોવિડ સેન્‍ટરો તથા પ્રવાસી શ્રમિકો માટે 10 જેટલા રસોડા ચલાવી તેમાં આશરે 5000 જેટલા શ્રમિકોને રોજ ભોજન પુરૂ પાડી અભૂતપૂર્વ યોગદાન આપેલ છે.

આ ઉપરાંત રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન સાથે સંકાળાયેલ SHGSની મહિલાઓ ઉપરાંત બીજી મહિલાઓને પણ સશકતીકરણનો લાભ મળે તે માટે રાજય સરકાર દ્વારા એક અનોખી પહેલ તરીકે મુખ્‍યમંત્રી મહિલા ઉત્‍કર્ષ યોજનાની શરૂઆત થઇ રહી છે. આ યોજનામાં જોડાતાની સાથે જ રૂ. એક લાખનું ધિરાણ, લોન ઇચ્‍છુક દસ બહેનોના જુથને મળશે આ ધિરાણ ઉપર નિયમિત હપ્‍તા ભરનાર જુથને વ્‍યાજમાંથી મુકિત મળશે. અને રાજય સરકાર ધિરાણકર્તા સંસ્‍થાઓને વ્‍યાજ સહાય ચુકવશે આમ આ યોજના પોતાના પગ ઉપર ઉભી થવા માંગતી બહેનોના જીવનમાં નવો ઉદય લાવશે. કાર્યક્રમની રૂપરેખા જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક અને નાયબ જિલ્‍લા વિકાસ અધિકારી વાય.ડી.વાસ્‍તવે આપી હતી. શિક્ષણ વિભાગ તરફથી ઇશા શુકલ નામની બાલિકાએ પ્રધાનમંત્રીશ્રીના મહિલા સશકિતકરણનાં પ્રયાસો વિશે વકતવ્‍ય રજુ કર્યું હતું.

જિલ્‍લા પંચાયત પ્રમુખ પી.એસ.જાડેજા, નગરપાલીકાના પ્રમુખ શ્વેતાબેન શુકલ, પૂર્વ જિલ્‍લા પંચાયત પ્રમુખ પાલાભાઇ કરમુર, પૂર્વ મેયર અમીબેન પરીખ, મેધજીભાઇ કણઝારીયા, વિગેરેએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. લોન મંજુરીપત્રોનું વિતરણ ઉપસ્‍થિત મહાનુભાવોના વરદ હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આભાર વિધિ નગરપાલિકાના ચીફ ઓફિસર એ.કે.ગઢવીએ કરી હતી. કાર્યક્રમમાં જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, તથા કચેરીના અધિકારીઓ માસ્‍ક પહેરી અને સોશ્યલ ડીસ્‍ટન્‍સ સાથે મોટી સંખ્‍યામાં જુદા જુદા જુથોના બહેનો વિગેરે ઉપસ્‍થિત રહયા હતા.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × one =

Back to top button
Close