ગુજરાત

બનાસકાંઠા : ભાદરવી મહાકુંભ નો પ્રારંભ મીની અંબાજી સણાદર ધામ નો મેળો મોકુફ રખાયો

ભાદરવી મહાકુંભનો પ્રારંભ..

મીની અંબાજી સણાદર ધામનો મેળો મોકૂક રખાયો..

કોરોના વાઇરસ ની મહામારી વચ્ચે ભક્તો ઘર બેઠા માં અંબાની ભક્તિ કરશે..

     બનાસકાંઠા ગુજરાતના પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભનો પ્રારંભ થયો છે. જેમાં આ વખતે કોરોના વાઇરસના કારણે મેળો બંધ રાખવાનો નિર્ણય લીધા બાદ જીલ્લામાં મીની અંબાજી ધામ ગણાતા દિયોદરના સણાદર ખાતે પણ કોવિડ -19 ની પરિસ્થિતિ ધ્યાને લઇ આજ થી એટલે કે 29/8/2020 થી 2/9/2020 સુધી ભાદરવી મહાકુંભનો પ્રારંભ સાથે મેળો મોકૂક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મીની અંબાજી ધામ ગણાતા સણાદર ખાતે માં અંબા બિરાજમાન છે અને અહીં દર ભાદરવી ચૌદસ અને પૂનમ બે દિવસ લાખો ભક્તો દર્શન અર્થ આવે છે. જેમાં કાંકરેજ, ડીસા, લાખણી, ભાભર, સુઇગામ, જેવા ગામો માંથી પણ મોટી સંખ્યામાં ભક્તો પગપાળા આવી માં જગત જનની માં અંબાના આશિર્વાદ લે છે. ત્યારે આ વખતે પરિસ્થિતિને ધ્યાને રાખી મેળો મોકૂક રાખ્યો છે. આ બાબતે મંદિરના મેનેજર ગજાજી માળીએ જણાવેલ કે દર વખતે અહીં ભાદરવી મહાકુંભના મેળામાં લાખો ભક્તો દર્શન કરવા આવે છે અને અહીં મેળો ભરાય છે પરંતુ આ વખતે કોવિડ 19 ની પરિસ્થિતિ અને સરકારની સૂચના મુજબ લોકોના સાવચેતી માટે મેળો મોકૂક રાખવાનો નિર્ણય લીધો છે જેમાં મેળામાં આવતા દર્શનાર્થીઓ તેમજ બહાર ગામથી આવતા તમામ વેપારીઓ, ફેરિયા, દુકાનોવાળા, તેમજ સ્ટોર્સવાળા અને મનોરંજન મેળા વાળાને આવવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.

કરશન ભગત સેવા ટ્રસ્ટ અને સણાદર ગ્રામ પંચાયત દ્વારા ભક્તો ને અપીલ

ભાદરવી મહાકુંભ ના પ્રારંભ સાથે દરેક ભક્તો ને બોલ માંડી અંબે જય જય અંબે ના નાદ સાથે આ વખતે કોવિડ 19 ની પરિસ્થિતિ વચ્ચે મીની અંબાજી સણાદર ધામ ખાતે યોજાતા મેળા ને મોકૂક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં દરેક ભક્તો આ નિર્ણય ને માન્ય રાખી દૂર દૂર થી આવતા માઈ ભક્તો અને ધંધા અર્થ આવતા વહેપારીઓ ને ઘર બેઠા માં અંબા ની ભક્તિ કરવા અનુરોધ કરાયો છે જેમાં 29/8/2020 થી 2/9/2020 દરમિયાન મંદિર નો મેળો મોકૂક રહેછે અને 3/9/2020 થી ભક્તો માટે મંદિર ના દ્વાર ખુલ્લા રાખવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nineteen − 12 =

Back to top button
Close