ગુજરાતટ્રેડિંગરાજકારણ

ગુજરાતના વધુ એક પીઢ રાજકારણીનું થયું અવસાન- જાણો લીલાધર વાધેલાની રાજકીય કારકિર્દીઑ

87 વર્ષના લીલાધર વાધેલા (Liladhar Vaghela)એ આજે સવારે અંતિમ શ્વાસ લીધા છે. તેઓ પાંચ વખત ધારાસભ્ય અને એક વખત સાંસદ (MP) તરીકે ચૂંટાઈ ચૂક્યા હતા. પાટણના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય એવા લીલાધર વાઘેલાએ પોતાના પુત્રના ઘરે ડીસા ખાતે અંતિમશ્વાસ લીધા હતા ,હવે તેમના મૃતદેહને પાટણના પીંપળ ખાતે લઈ જવાશે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

લીલાધર વાઘેલાનો જન્મ 17મી ફેબ્રુઆરી 1935ના રોજ મહેસાણાના ચાણસ્મા તાલુકાના પીમ્પળ ગામ ખાતે થયો હતો. તેમણે બી.એ., બી.એડનો અભ્યાસ કર્યો હતો. તેમણે પોતાના કારકિર્દીની શરૂઆત ખેડૂત, સામાજિક કાર્યકર અને પત્રકાર અને શિક્ષક તરીકે કરી હતી.

લીલાધર વાઘેલા ભૂતકાળમાં કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા. ચીમનભાઈ પટેલ સરકારમાં તેઓ મંત્રી રહી ચુક્યા છે.2004ના વર્ષમાં તેઓ શંકરસિંહ વાઘેલા સામે ચૂંટણી લડીને ચર્ચામાં આવ્યા હતા. 2014માં ભાજપે લીલાધર વાઘેલાને પાટણ બેઠક પરથી ટિકિટ આપી હતી.

2018ના વર્ષમાં ગાંધીનગર ખાતે તેમના નિવાસસ્થાને એક રખડતી ગાયે તેમના પર હુમલો કર્યો હતો. જેમાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. અને છેલ્લા ઘણા સમયથી તેઓ બીમાર હતા.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × five =

Back to top button
Close