ટ્રેડિંગરાષ્ટ્રીય

પાક.ની વધુ એક નાપાક હરકત-જમ્મુ-કાશ્મીરના પમ્પોરમાં આતંકવાદી હુમલો…

દક્ષિણ કાશ્મીરના પમ્પોરમાં આતંકવાદી હુમલો થયો હોવાના અહેવાલ છે. આ હુમલામાં સીઆરપીએફના બે જવાન શહીદ થયા છે જ્યારે ત્રણ અન્ય ઘાયલ હોવાનું જણાવાયું છે. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલ છે કે આ ઘટનાને અંજામ આપ્યા બાદ આતંકવાદીઓ વિસ્તારમાં ક્યાંક છુપાયા છે. આતંકવાદીઓને પકડવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ દક્ષિણ કાશ્મીરના પમ્પોરમાં આતંકવાદીઓએ ફરી એકવાર સીઆરપીએફના જવાનોને નિશાન બનાવ્યા છે. અહેવાલ છે કે સીઆરપીએફની 110 બટાલિયન અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો પમ્પોરના કંડીજલ બ્રિજ પર રોડ ઓપનિંગ ડ્યુટી (આરઓપી) પર તૈનાત હતા. તે દરમિયાન કેટલાક આતંકીઓ ત્યાં પહોંચ્યા હતા અને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધી હતી.

આ આતંકી હુમલામાં બે સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે ત્રણ ઘાયલ થયા હતા. ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સમાચાર છે કે આતંકવાદી ઘટનાને અંજામ આપ્યા પછી તે આ વિસ્તારમાં ક્યાંક છુપાયો છે. ઘટનાની માહિતી મળતાં સુરક્ષા દળ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સર્ચ ઓપરેશન ચાલુ છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seven − 1 =

Back to top button
Close