ગુજરાત

કોંગ્રેસના અગ્રણીઓ અમદાવાદ પ્રતિકારયાત્રામાં જોડાય તે પહેલા જ કરી દીધા નજરકેદ

પંચમહાલ: કોંગ્રેસના અગ્રણીઓ અમદાવાદ પ્રતિકારયાત્રામાં જોડાય તે પહેલા જ કરી દીધા નજરકેદ

ઉત્તરપ્રદેશના હાથરસ તેંમજ ગુજરાતના શહેરોમાં દીકરીઓ પરના અત્યાચારોને લઈને દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેમાં કોંગ્રેસપક્ષ દ્વારા જીલ્લા-તાલૂકાકક્ષાએ આવેદન આપીને વિરોધ પણ કરવામા આવી રહ્યો છે. આ બધી ઘટનાઓને લઈને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા દ્વારા અમદાવાદ ખાતે પ્રતિકારયાત્રામા જોડાવા માટે જણાવામા આવ્યુ હતુ.

જેમાં ગુજરાતના વિવિધ જીલ્લાઓમાથી આ પ્રતિકારયાત્રામાં જોડાવા માટે કોગ્રેંસના અગ્રણીઓ અને કાર્યકરો અમદાવાદ જવાના છે. આજે પંચમહાલ જીલ્લામાંથી પણ અમદાવાદના કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ સુધીની પ્રતિકારયાત્રામાં કોંગ્રેસના ૫૦ જેટલા અગ્રણીઓ અને કાર્યકરો અમદાવાદ જવા રવાના થવાના હતા.પરંતુ સવારે આજે પંચમહાલ પોલીસ દ્વારા આ કાર્યકરો અમદાવાદ પ્રતિકારયાત્રામાં જાય તે પહેલા જ તેમના ઘરેથી નજરકેદ કરવામા આવ્યા હતા.

પંચમહાલ: કોંગ્રેસના અગ્રણીઓ અમદાવાદ પ્રતિકારયાત્રામાં જોડાય તે પહેલા જ કરી દીધા નજરકેદ
પંચમહાલ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અજિતસિંહ ભટ્ટીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યુ હતુ કે “પંચમહાલમાથી ૫૦ જેટલા આગેવાનો અમદાવાદ પ્રતિકારયાત્રામાં જતા હતા તેમને સવારથી પોલીસ દ્વારા નજરકેદ કરવામા આવ્યા છે. જેંમા એસસી સેલના પ્રમુખ રાજેશભાઈ તેમજ મહીલા પ્રમુખ જયશ્રીબેન, તેમજ પ્રિયંકાબેન પરમાર સહીત અન્ય જીલ્લામાં જુદી જુદી જગ્યાએ નજર કેદ કરવામા આવ્યા હતા.

આ મામલે તેમને વધુમાંજણાવ્યુહતુ કે લોકશાહી તંત્ર માટે દુઃખદ અને ચિંતાનો વિષય છે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ રાજ્ય સરકારના ભેદભાવપૂર્ણ વલણ ધાક ધમકીનો સખત વિરોધ કરેલ છે અને રાજ્ય અને દેશના અન્યાયકર્તા બનાવને ન્યાયિક તપાસની માંગ સાથે સખ્ત વિરોધ દર્શાવે છે.”

This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

16 + 9 =

Back to top button
Close