અમદાવાદ

અમદાવાદ: છેલ્લા 27 દિવસમાં ટ્રેનમાંથી 567 મુસાફર કોરોના પોઝિટિવ મળ્યા

ટ્રેનના 42 હજારથી વધુ મુસાફરોના કોરોના ટેસ્ટ કરાયા, રાજધાની ટ્રેનમાંથી સૌથી વધુ કેસ મળ્યા.
છેલ્લા ૨૭ દિવસમાં ૫૬૭ મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. રાજધાની, ગોરખપુર, અને હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદ સ્ટેશને ઉતરેલા ૪૨ હજારથી વધુ મુસાફરોનું ટેસ્ટિંગ આ સમયગાળા દરમિયાન કરાયું હતું જેમાંથી ઉપરોક્ત કોરોના પોઝિટિવ દર્દીઓ ટ્રેનની મુસાફરી દરમિયાન કોરોના સંક્રમીત હોવાનું જાણવા મળ્યું હતું.

ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાયું છે.
આ સ્થિતિમાં અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતરતા તમામ મુસાફરોનું કોરોના ટેસ્ટિંગ કરવાનું નક્કી કરાયું હતું. અમદાવાદ સ્ટેશને હાલમાં દૈનિક ૩ ટ્રેનો આવે છે. આ ટ્રેનમાંથી ઉતરતા તમામ મુસાફરોનુ ફરજિયાતપણે ‘રેપિડ એન્ટિજન ટેસ્ટિંગ’ કરવામાં આવે છે.

રેલવેના અધિકારીઓના જણાવ્યા મુજબ અમદાવાદ રેલવે સ્ટેશન પર કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન થઇ રહ્યું છે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનેટાઇઝેશન, સાફ-સફાઇ સહિતની તમામ બાબતોનું ધ્યાન રખાઇ રહ્યું છે.

૪૨ હજારથી વધુ મુસાફરોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુંહતું. જેમાંથી ૫૬૭ મુસાફરો કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. આ અંગે અધિકારીઓના જણાવ્યા મુજબ પોઝિટિવ દર્દીઓને સાબરમતી રેલવે સ્ટેશનના કોવિડ કેર સેન્ટરમાં લઇ જવાય છે અથવા સ્થિતિ વધુ ગંભીર જણાય તો હોસ્પિટલમાં દાખલ કરી દેવાય છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × 2 =

Back to top button
Close