જેને એકસપોઝ કર્યા છે તેની સાથે જ ફરે છે આદિત્ય ઠાકરે: કંગનાનો ફરી પલટ વાર.

શિવસેના અને બોલીવૂડની અભિનેત્રી કંગના રનૌટ વચ્ચેનો વિવાદ હાલ ખતમ થાય તેવું લાગતું નથી.
કંગના વારંવાર મહારાષ્ટ્ર્ર સરકાર અને શિવસેના પર પ્રહાર કરી રહી છે. મુંબઈમાં પાંચ દિવસ રહ્યા પછી કંગના હવે મનાલી પહોંચી છે.
મનાલી પહોંચીને કંગનાએ પેહલા જ મહારાષ્ટ્ર્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પર પ્રહારો કર્યો. ઉલ્લેખનીય એ છે કે કંગના રનૌટ ૯ સપ્ટેમ્બરે પોતાના મુંબઈવાળા ઘરે પહોંચી હતી. કંગના રનૌટ આરોપ લગાવ્યો હતો કે શિવસેના સાથે ટકરાવાના કારણે મહારાષ્ટ્ર્ર સરકાર તેને નિશાન બનાવી રહી છે બુધવારે બીએમસીએ કંગનાના
મનાલી પહોંચીને કંગનાએ પેહલા જ મહારાષ્ટ્ર્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પર પ્રહારો કર્યો. ઉલ્લેખનીય એ છે કે કંગના રનૌટ ૯ સપ્ટેમ્બરે પોતાના મુંબઈવાળા ઘરે પહોંચી હતી. કંગના રનૌટ આરોપ લગાવ્યો હતો કે શિવસેના સાથે ટકરાવાના કારણે મહારાષ્ટ્ર્ર સરકાર તેને નિશાન બનાવી રહી છે બુધવારે બીએમસીએ કંગનાના બાંદ્રા સ્થિત બંગલામાં કરેલા અવૈધ નિર્માણને તોડી પાડયું હતું.
જોકે બોમ્બે હાઇકોર્ટે એ બીએમસીની આ કાર્યવાહી પર પ્રતિબધં લગાવવાનો આદેશ આપ્યો હતો.
કંગનાએ ટવિટ કરીને લખ્યું હતું કે મહારાષ્ટ્ર્રના મુખ્યમંત્રીની બેસિક સમસ્યા એ છે કે મેં આખરે કેમ મૂવી માફિયા, સુશાંત સિંહ રાજપૂતના હત્યારા અને તેના ડ્રગ્સ રેકેટને એકસપોઝ કર્યા, જેમની સાથે તેમનો પુત્ર આદિત્ય ઠાકરે ફરે છે. આ મેં ઘણો મોટો અપરાધ કરી દીધો છે અને હવે તે મને ફિકસ કરવા માંગે છે. ઓકે તમે પ્રયત્ન કરો. જોઈએ કે કોણ કોને ફિકસ કરે છે.