ગુજરાત
કાલોલ મામલતદાર કચેરીમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે શપથ વિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

કાલોલ મામલતદાર કચેરીમાં અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલે દેશની એકતા અને અખંડતા માટે આપેલા યોગદાનના સમરણાર્થે તેમનો જન્મ દિવસ ૩૧ ઓક્ટોબરને દેશભરમાં રાષ્ટ્રિય એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે.
This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this
જે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે તંત્રના માર્ગદર્શન અનુસાર કાલોલ મામલતદારના નેતૃત્વમાં કચેરીના કર્મચારીઓ અને નાગરિકોએ સૌ ભેગા મળીને સરદાર પટેલના યોગદાન પ્રત્યેની કૃતજ્ઞતા અને દેશની અખંડિતતાના નાગરિક ધર્મના અભિગમ માટે શપથવિધિ કરાવવામાં આવી હતી. આ શપથવિધિમાં કાલોલ મામલતદારના નેતૃત્વમાં મામલતદાર કચેરીના કર્મચારીઓ અને કચેરીમાં ઉપસ્થિત નાગરિકો દ્વારા દેશની એકતા અને અખંડિતતા માટે શપથ લીધા હતા.